મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ નાની આડી લાઈન પર ક્લિક કરી અન્ય લેખકો ના લેખ પણ વાંચી શકશો અથવા QR code સેવ કરી direct link open કરી વાંચી શકો.
લેખ -1
શાસ્ત્રી શ્રી દર્શન જોષી
જય શ્રી કૃષ્ણ* ધાર્મિક તહેવાર દર્શન
(વર્ષ ૨૦૨૫)
"""""""""""""""""""""""""""""""
તા. ૨૧-૦૭-૨૦૨પ સોમવાર - કામિકા એકાદશી
તા. ૨૪-૦૭-૨૦૨૫ ગુરૂવાર - દિવાસો
તા. ૨૫-૦૭-૨૦૨૫ શુક્રવાર - શ્રાવણ માસ પ્રારંભ
તા. ૨૯-૦૭-૨૦૨૫ મંગળવાર - નાગપાંચમ
તા. ૩૦-૦૭-૨૦૨૫ બુધવાર - રાંધણછઠ
તા. ૩૧-૦૭-૨૦૨૫ ગુરૂવાર - સીતલા સાતમ
●●● ઓગષ્ટ ●●●
તા. ૦૩-૦૮-૨૦૨પ રવિવાર - નોળીનેમ
તા. ૦૯-૦૮-૨૦૨૫ શનિવાર - રક્ષાબંધન
તા. ૧૨-૦૮-૨૦૨૫ મંગળવાર - અંગારકી સંકષ્ટ ચોથ
તા. ૧૩-૦૮-૨૦૨પ બુધવાર - ગોગા મહારાજ ની નાગપાંચમ
તા. ૧૫-૦૮-૨૦૨૫ શુક્રવાર - જન્માષ્ટમી
તા. ૧૬-૦૮-૨૦૨૫ શનિવાર - ગોકુળ ઉત્સવ
તા. ૧૯-૦૮-૨૦૨૫ મંગળવાર - અજા એકાદશી
તા. ૨૨-૦૮-૨૦૨૫ શુક્રવાર - અમાસ
તા. ૨૩-૦૮-૨૦૨૫ શનિવાર - શ્રાવણ માસ સમાપ્ત
તા. ૨૬-૦૮-૨૦૨૫ મંગળવાર - કેવડા ત્રીજ
તા. ૨૭-૦૮-૨૦૨૫ બુધવાર - શ્રી ગણેશ ચર્તુથી
તા. ૨૮-૦૮-૨૦૨૫ ગુરૂવાર - ઋષિ પાચમ
તા. ૩૦-૦૮-૨૦૨૫ શનિવાર - દરો આઠમ
●●● સપ્ટેમ્બર ●●●
તા. ૦૩-૦૯-૨૦૨૫ બુધવાર - પરિવર્તિની એકાદશી
તા. ૦૬-૦૯-૨૦૨૫ શનિવાર - અનંત ચર્તુદશી
તા. ૦૭-૦૯-૨૦૨૫ રવિવાર - ખગ્રાસ ચંદ્રગ્રહણ
તા. ૦૮-૦૯-૨૦૨પ સોમવાર - મહાલય શ્રાધ્ધ પ્રારંભ(એકમનું શ્રાધ્ધ)
તા. ૦૯-૦૯-૨૦૨૫ મંગળવાર - બીજનું શ્રાધ્ધ
તા. ૧૦-૦૯-૨૦૨૫ બુધવાર - ત્રીજ-ચોથનું શ્રાધ્ધ
તા. ૧૧-૦૯-૨૦૨૫ ગુરૂવાર - પાચમનું શ્રાધ્ધ
તા. ૧૫-૦૯-૨૦૨૫ સોમવાર - નોમનું શ્રાધ્ધ સૌભાગ્યવતીનું શ્રાધ્ધ
તા. ૧૬-૦૯-૨૦૨૫ મંગળવાર - દશમનું શ્રાધ્ધ
તા. ૧૭-૦૯-૨૦૨૫ બુધવાર - એકાદશીનું શ્રાધ્ધ
તા. ૧૮-૦૯-૨૦૨૫ ગુરૂવાર - બારસનું શ્રાધ્ધ
તા. ૧૯-૦૯-૨૦૨૫ શુક્રવાર - તેરસનું શ્રાધ્ધ
તા. ૨૦-૦૯-૨૦૨૫ શનિવાર - ચૌદશનું શ્રાધ્ધ
તા. ૨૧-૦૯-૨૦૨પ રવિવાર - સર્વપિતૃ અમાસનું શ્રાધ્ધ
તા. રર-૦૯-૨૦૨૫ સોમવાર - શારદીય નવરાત્રી પ્રારંભ
તા. ૩૦-૦૯-૨૦૨પ મંગળવાર - આઠમનો ઉપવાસ
●● ઓક્ટોબર ●●●
તા. ૦૧-૧૦-૨૦૨૫ બુધવાર - મહા નવમી
તા. ૦૨-૧૦-૨૦૨૫ ગુરૂવાર - દશેરો
તા. ૦૩-૧૦-૨૦૨૫ શુક્રવાર - પાશાકુશા એકાદશી
તા. ૦૪-૧૦-૨૦૨પ શનિવાર - શનિપ્રદોષ
તા. ૦૬-૧૦-૨૦૨૫ સોમવાર - શરદ પૂનમ, પૌવા પૂનમ
તા. ૧૭-૧૦-૨૦૨૫ શુક્રવાર - રમા એકાદશી/વાઘબારસ
તા. ૧૮-૧૯-૨૦૨૫ શનિવાર - ધનતેરસ-શનિપ્રદોષ
તા. ૨૦-૧૦-૨૦૨પ સોમવાર - કાળી ચૌદશ
તા. ૨૧-૧૦-૨૦૨પ મંગળવાર - દિવાળી
તા. રર-૧૦-૨૦૨૫ બુધવાર - નવુ વર્ષ
તા. ૨૩-૧૦-૨૦૨૫ ગુરૂવાર - ભાઈબીજ
તા. ૨૬-૧૦-૨૦૨પ રવિવાર - લાભપાચમ
તા. ૨૯-૧૦-૨૦૨૫ બુધવાર - જલારામ જયંતિ
●●● નવેમ્બર ●●●
તા. ૦૧-૧૧-૨૦૨પ શનિવાર નવેમ્બર - દેવઉઠી એકાદશી
તા. ૦૨-૧૧-૨૦૨૫ રવિવાર નવેમ્બર - ચાર્તુમાસ સમાપ્ત
તા. ૦૫-૧૧-૨૦૨૫ બુધવાર નવેમ્બર - દેવ દિવાળી
સંવત ૨૦૮૧ (૨૦૨૫) દિવાળીના મુર્હુતો
- આસો સુદ દશમને ગુરૂવાર તા. ૦૨-૧૦-૨૦૨પ ઓક્ટોબર ના શુભ દિને
સવારે ૬-૩૨ થી સવારે ૮-૦૦ સુધી
બપોરે ૧૦-૫૯ થી બપોરે ૩-૨૬ સુધી
સાંજે ૪-૫૫ થી રાત્રે ૯-૨૬ સુધી
- આસો વદ બારસ-તેરસને શનિવાર તા. ૧૮-૧૦-૨૦૨૫ ઓક્ટોબર
બપોરે ૧૨-૨૪ થી સાંજે ૪-૪૬ સુધી
સાંજે ૬-૧૨ થી રાત્રે ૭-૪૬ સુધી
રાત્રે ૯-૧૯ થી રાત્રે ૧-૫૬ સુધી
આસો વદ અમાસને મંગળવાર તા. ર૧-૧૦-૨૦૨૫ ઓકટોબર
શારદા પૂજન-ધનલક્ષ્મી-કુબેર પૂજન
બપોરે ૩-૪૫ થી સાંજે ૭-૪૫ સુધી
તા. ૧ર-૦૯-૨૦૨૫ સપ્ટેમ્બર શુક્રવાર - છઠનું શ્રાધ્ધ
તા. ૧૩-૦૯-૨૦૨૫ શનિવાર સપ્ટેમ્બર - સાતમનું શ્રાધ્ધ
તા. ૧૪-૦૯-૨૦૨૫ રવિવાર સપ્ટેમ્બર - આઠમનું શ્રાધ્ધ
રાત્રે ૧૦-૫૦ થી રાત્રે ૧૨-૪૮ સુધી. ` દેવઉઠી દિવાળી સુધીના શુભ મુહૂર્તની સુંદર સવાર.
****************
શાસ્ત્રી શ્રી દર્શન જોષી
ના
જય શ્રી કૃષ્ણ
શ્રીમતી બિંદુબેન નાયક -સલવાવ -મુંબઈ સૂચન કે કેલેન્ડર મુકવું , એમના દ્વારા મોકલેલ


વિશિષ્ટ સમાજની માહિતી આપતું આપણું અનાવિલ સાહિત્ય અનાવિલ સમાજમાંથી જેટલું શક્ય હોય એટલું ભેગું કરીને–ખરીદીને–વસાવીને વાંચવાનો શોખ છેલ્લા પચાસ વર્ષથી હું ધરાવું છું. લગભગ પચાસની નજીક પુસ્તકો મેં વસાવ્યા છે અને એ કાર્યક્રમ હજી અવિરત ચાલુ છે.
બુદ્ધિશાળી, નેતાગીરીના લક્ષણો ધરાવતા અને શિક્ષણ માં અગ્રેસર સમાજમાં શ્રી અંબેલાલ ગોપાળજી દેસાઈ (વલસાડ), ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ (બીલીમોરા) અને બકુલાબેન ઘાસવાલા (વલસાડ) જેવા લેખકોએ ખૂબ મહેનત કરીને માહિતી ભેગી કરીને આપણને સમાજનો ઈતિહાસ અને લક્ષણો બતાવ્યાં છે – તે જાણવા જ રહ્યાં. આપણા વડીલો કદાચ દેસાઈગીરી–ગામના વડા તરીકે પટલાઈ કે શિક્ષણ જેવા વિષયોમાં ખુબજ આગળ હતા–પણ ઈતિહાસ લખવામાં ઊણા ઉતર્યા છે–ત્યારે શ્રી અંબેલાલ, ડો. ઈશ્વરચંદ્ર અને બકુલાબેનને બિરદાવવા રહ્યાં–તેમના ત્રણેના જેટલા વખાણ કરીએ તે ઓછા છે.
‘જય શુકલેશ્વર’ માસિક હમણાં પચાસ વર્ષ પૂરા કરવાના છે, ત્યારે અનાવિલ સમાજની માહિતી, સમાચાર, અને ઉત્તરોત્તર વિકાસનો પ્રસાર એના દ્વારા વિશ્વના અનાવિલોમાં ઉત્તમ રીતે થયો છે–તે સ્વીકારવું જ રહ્યું. મુંબઈના ‘જય અનાવિલ’ અને અમદાવાદનું ‘અનાવિલ પોકાર’ માસિકો પણ તેમની રીતે ફાળો આપે જ છે. ચાલો, મારી પાસેના અનાવિલ સાહિત્યના પુસ્તકોની વિગતવાર યાદી જોઈએ.
અનાવિલ સાહિત્યના મુખ્ય પુસ્તકો
કન્યાદાન દાતા પ્રતિગ્રાહિતા - ડો. ક્લાસ ડબ્લ્યુવાન ડરવિન - ગુજરાતી અનુવાદક : મગનદાસ નાયક (૧૯૮૭)
અનાવિલ દર્શન - લે. અંબેલાલ ગોપાળજી દેસાઈ (૧૯૯૦)
Anavils of South Gujrat 2000 - Harish Desai & Hakumar Desai (1995) (ગુજરાતી મૂળ પુસ્તક: 1968 નો અંગ્રેજી અનુવાદ)
Cradle to Crematorium - Translation in English Harish Desai, Ranjan Desai (ગુજરાતી મૂળ પુસ્તક : પારણાથી પાલખી લે. બકુલા ઘાસવાલા)
દક્ષિણ ગુજરાતનાં અનાવિલ બ્રાહ્મણો (૨૦૦૧) - લેખક: અંબેલાલ ગોપાળજી દેસાઈ - સંકલન: ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ
સંભારણું – ૧ (૨૦૦૪)
સંભારણું – ૨ (૨૦૦૮) ગત સદીનું શ્રી શુકલેશ્વર અને અનાવિલો - ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ
અનાવિલ ઓળખ – ડો. ઈશ્વરચંદ્ર મ. દેસાઈ (૨૦૦૪)
ઉજાસ – અનાવિલ – ૨૦૦૮ (મેગેઝીન)
Anavils (Then, Now and …)
અનાવિલ ધરોહર - સંકલન: હિના દેસાઈ (૨૦૧૯)
અનાવિલ ધરોહર (નવી આવૃત્તિ) - સંકલન: હિના દેસાઈ ૨૦૨૦
અનાવિલ અસ્મિતા અને ગામડાનો વારસો - લે. શ્રીમતી મમતા તેજસ નાયક (૨૦૨૨)
History of Anavil Brahmins - Dinkar M. Desai (૨૦૦૭)
અનાવિલોનો પરિચય આપતાં પુસ્તકો
વાપીથી તાપીની વિભૂતિઓ (૧૯૮૭) - ૫૨૮ પેજિસમાં ૧૧૪ અનાવિલોનો સચિત્ર વિગતવાર પરિચય - ડો. મોહનભાઈ પાંચાલ
વાપીથી તાપીની વિરાસત (૧૯૯૯) - ૫૬૨ પેજિસમાં ૧૦૦ અનાવિલોનો સચિત્ર વિગતવાર પરિચય - ડો. મોહનભાઈ પાંચાલ
અનાવિલ પરિચય ગ્રંથ (૨૦૦૮) - સાહિત્ય સંગમ પ્રકાશન (૬૭૩ પેજિસ) – ૫૦૦+ અનાવિલોનો સચિત્ર પારિચય - રીમા જ્વલંત નાયક અને ચિંતન નાયક - તમે જાણતા હોય એવા લગભગ બધાજ અનાવિલોની વિગતો સમાવતું પુસ્તક.
શ્રી પારડી – ઉમરગામ તાલુકા અનાવિલ સમાજ (૨૦૦૯) ૩૩૪ મોટા પાનામાં પારડી તાલુકાનાં અનાવિલોના કુટુંબની વંશવાળી –અનાવિલ મંડળો, જાણીતા મંદિરો સાથે અનાવિલ મહાનુભાવોનો પરિચય આપતું પુસ્તક
Anavil Samaj of Canada Directory (2016)
અનાવિલ સાહિત્યકારો (૨૦૨૦) - ડો. પ્રફુલ્લભાઈ દેસાઈ (સુરત)
ગણદેવી તાલુકા અનાવિલ ડિરેક્ટરી - દોલતભાઈ વી. નાયક
‘સાથી’ વિશેષાંક (૧૯૯૬) - અનાવિલ સમાજ, નવસારી
અનાવિલોની આત્મકથાઓ / જીવનચરિત્ર
મારૂ જીવનવૃતાંત – મોરારજી દેસાઈ (૨૦૧૪)
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – મહાદેવભાઈ નું જીવનચરિત્ર - લેખક : નારાયણ દેસાઈ (૧૯૯૨)
મુકસેવક અને બોલતાં હૈયા (૧૯૮૪) - કાન્તિદર્શી ડો. મણિભાઈ દેસાઈ (૨૦૧૪)
વિદ્યા-સ્મૃતિ (૨૦૦૮) - વિદ્યાબેન ઈશ્વરભાઈ નાયક
શ્રી દયાળજી સ્મૃતિગ્રંથ (૧૯૭૮)
કલાવીદ્દ (જશુભાઈ નાયક કળા વિશેષાંક)
દિલનું સ્મિત – એક સફર
પરાગજી નાયક – એક સમર્પિત અનાવિલ લે. રમેશ તન્ના (૨૦૧૬)
પ્રેમિલાબેન ભુપેન્દ્ર નાયક (૨૦૦૫)
શ્રી યોગેન્દ્ર
શ્રી મોરારજી દેસાઈ સ્મૃતિઅંક (૨૦૦૯)
કલાગુરુ શ્રી જશુભાઈ નાયક સ્મૃતિઅંક (જય શુકલેશ્વર) ૨૦૧૪
પ્રો. ડી.જી વશી – ઊંચું ધ્યેય અને પ્રચંડ પુરૂષાર્થ ૧૯૯૯
શહીદ બાપુભાઈ વશી
કર્મયોગી કિકુભાઈ ગુલાબભાઈ નાયક
શ્રી મોરારજી દેસાઈ – યશવંત દોશી (૧૯૯૭)
મારી શિક્ષણ યાત્રા. આચાર્ય શ્રી ઈશ્વરભાઈ નાયક (૨૦૦૫)
મારા સંસ્મરણો ડો. જે.હી.દેસાઈ (૨૦૨૦)
શ્રી સુરેશભાઈ દેસાઈ (નવસારી)
ડો. બી.જી.નાયક – વેગામ મોરી માવડી - આર.ડી.દેસાઈ
ભારતરત્ન શ્રી મોરારજી દેસાઈ ડો. મોહનભાઈ પાંચાલ (૧૯૯૫)
માનવરત્ન શ્રી મોરારજી દેસાઈ
રાજપુરુષ મોરારજી દેસાઈ, દિપક બી.વશી. (૨૦૧૬)
યોગાનંદ સરસ્વતી મહારાજ (ગાંડા મહારાજ)
મને આશા છે કે આ વિગતો જાણીને અને વાંચીને આપસૌ અનાવિલ સાહિત્ય નું મહત્વ સ્વીકારશો. આ બધા પુસ્તકો હું અનાવલ જય શુકલેશ્વર ધામમાં (મારા ગયા પછી) આપનાર છું – તે સહેજ જાણ ખાતર.
નમ્ર અપીલ: વાંચકોમાંથી દરેકને અનાવિલ સાહિત્યના પુસ્તકો અને અનાવિલોની આત્મકથા મને પહોંચાડવા નમ્ર અરજ કરું છું. મહેરબાની કરીને અનાવિલોને લગતા દરેક પુસ્તકો મને ડો. ભરત દેસાઈ, દેસાઈ આંખની હોસ્પિટલ, ફિડર રોડ, બીલીમોરા-૩૯૬ ૩૮૦ સરનામે અચૂક મોકલશો.
ડો. ભરત દેસાઈ
બીલીમોરા
૨૮/૦૧/૨૩
Labels: anavil literature ગુજરાતી
Location: Bilimora, Gujarat, India
Dr. ભરત દેસાઈ , બીલીમોરા દ્વારા આપણા અનાવિલ સાહિત્યની વિગતવાર યાદી
લેખ-૨


લેખ-૩


લેખ-4
લેખ-5

