મોબાઈલ વાચકો મેનુ જોવા હેડરમાં ૩ આડી લઈને પર ક્લિક કરી જોઈ શકશો .
દરેક અનાવિલો વાંચે અને વિચારે એવી વિનંતી છે
આપણા દરેક ગામોની એક ખાસિયત હતી/છે જેમાં દરેક જ્ઞાતિના લોકો જ્ઞાતિ મુજબ અલગ અલગ સંકુલ થોડા થોડા અંતરે બનાવીને રહેતા હતા અને એ સંકુલ જે તે જ્ઞાતિના નામે ઓળખાતા.. જેવા કે...
દેસાઈ વાડ
બામણ વાડ
વાણિયા વાડ
સોની વાડ (ફળિયું)
સુથાર વાડ
લુહાર વાડ
દુબર વાડ (હળપતિ)
ભરવાડ વાડ
કોળી વાડ
ઘોડિયાવાડ
માંહ્યવંશી ફળિયું
માછીવાડ
આનું કારણ હતું કે દરેક જ્ઞાતિની રહેણી કરણી, ખાણી પીણી, રીતિ રિવાજ અલગ અલગ હતા એટલે એક જ્ઞાતિના લોકો બીજી જ્ઞાતિના લોકો વચ્ચે કોઈ સંઘર્ષ કે ઘર્ષણ ન થાય આમ આપણા વડવાઓની કેટલી દુરંદેશી હતી એ વાત ઉપરથી ધ્યાનમાં આવે છે
અનાવિલોના ગામ તુટતા જાય છે લોકો ગામ છોડીને સંતાનોના શિક્ષણના નામે કે શહેરી જીવન જીવનના લોભે ગામના મોટા ઘર છોડીને વાપી, ઉદવાડા, કે પારડી માં રહેવાનું શરૂ કર્યું છે અને મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ વગેરે જગ્યાએ સ્થાયી થયા અને ગામનાં ઘર ખાલી પડ્યા છે જેને ઘણા અનાવિલોએ ભાડા ઉપર કે વેચી કાઢ્યા છે.
જે ઘરો આપણા બાપ દાદાઓએ ખુબજ મહેનતથી અને જતનથી બનાવ્યા છે અને જે ઘરો એટલા પવિત્ર મનાતા કે ઇતર જ્ઞાતિના લોકો એ ઘરમાં તો શું પરંતુ ઓટલો ચઢવાની હિંમત ન કરતા અને ચોકમાંથી જ વાતો કરીને જતા રહેતા અને એજ ઘરોમાં હવે એ લોકો ઠાઠ થી 500/1000 રૂપિયા ભાડું આપીને શાનથી રહે છે
જે પૂજા રૂમમાં આપણા માતા પિતા પૂજા કરતા, જે રસોડામાં આપણી માતા સ્નાન કર્યા સિવાય જતી ન હતી ત્યાંજ ઇતર જ્ઞાતિ બે ધડક હક્કથી (500 રૂપિયા ભાડામાં) પ્રવેશ કરે ત્યારે આપણા એ ઘરની મર્યાદા લોપાય જાય છે અને આપણા સ્વર્ગસ્થ વડીલોનું દિલ દુભાતું હશે એમ નથી લાગતું ?એઓ સંતાન ને બદ દુઆ તો ન આપે પરંતુ એમનો આત્માને જરૂર દુઃખ પહોંચતું હશે એમ મારું માનવું છે.
આપણા મોટા ભાગનો સમાજ મુંબઈ સ્થાયી થયો છે જ્યાંથી આપણા ગામમાં વધારેમાં વધારે 3 કલાકમાં પહોંચી શકાય છે. આપણે વર્ષમાં ઓછામાં ઓછા 3 થી 4 વાર વાપી/ઉદવાડા લગ્ન પ્રસંગે કે મરણ પ્રસંગે સહકુટુંબ જઈએ છીએ પણ એ હોલ થી 15 મિનિટ ના અંતરે આવેલું આપણું ગામ આપણું ઘર જોવા આપણે નથી જતા કે નથી આપણા સંતાનને આપણું ગામ કે ઘર બતાવતા... મુંબઈ તો છોડો જે લોકો વાપી, ઉદવાડા, પારડી રહે છે તેઓ પણ એમનાં ગામની મુલાકાત ભાગ્યેજ લે છે જે ખરેખર આપણે બધાએ વિચારી કંઈક નક્કર પગલાં લેવા જોઈએ.
કોરોના કાળમાં વતન નું ઘર કેટલું ઉપયોગી છે એ જેમના ઘર ગામમાં છે એમને અને જેમના ઘર નથી એ બન્નેને સમજાય ગયું.
અમારા ગામ પંડોરમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 8 નવા ઘર બન્યા(બંગલા) સંપૂર્ણ સુવિધા સાથે, 4 ઘર રીનોવેટ થયા. ડુંગરી, નામધા,દસવાડા, દાદરા જેવા ગામોમાં પણ ઘણા નવા ઘરો બનાવ્યા આમ ધીમે ધીમે ગામ તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે જે એક સારી નિશાની છે.
માદરે વતનમાં જે લોકો નવું ઘર બનાવશે અને એ માહિતી અનાવિલ ખબરદારમાં share કરવાની ઈચ્છા ધરાવતા હોય તો અનાવિલ ખબરદાર મંચ અનાવિલો જોડે એ માહિતી share કરશે.
છેલ્લે એટલીજ વિનંતી છે કે બાપ દાદા ની યાદગીરી રૂપી આપણા વતનનું ઘર આપણે જાળવીએ અને એમની સ્મૃતિ જાળવીએ.જો ઘર ભાડા પર આપવુંજ હોય તો કોઈ સારી વ્યક્તિને આપો અને જો વેચવું જ હોય તો ફક્ત ગામનાં અનાવીલને જ વેચો. દરેક ગામનાં અનાવિલોએ પોતાના ગામમાં એવો ઠરાવ પસાર કરવો જોઈએ કે ગામનો કોઈ પણ અનાવિલ પોતાનું ઘર અનાવીલને જ વેચી શકે.
લિ. aનિલ deસાઈ.
પંdor
18.05.2022


અનિલભાઈ ભુલાભાઈ દેસાઈ
શ્રી અનાવિલ કેળવણી મંડળ મુંબઈના ઐતિહાસિક 100 વર્ષની સિધ્ધિ બદલ અનાવિલ કેળવણી મંડળને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા...
આપણા અનાવિલ કેળવણી મંડળની સ્થાપના ઈસ.1924 માં એટલે કે અખંડ ભારતની ગુલામીના કાળ ખંડમાં દેશ આઝાદ થયો એના 23 વર્ષ પૂર્વે 1924 માં થઈ જ્યારે ગણ્યા ગાંઠ્યા લોકો માંડ સાતમું ધોરણ સુધી પહોંચ્યા હતા અને ઘણા લોકો નિરક્ષર હતા જેમાંથી મહિલાઓ બહુમતીમાં હતી.
આજથી 100 વર્ષ પહેલાં કેળવણી માટે કોઈ અનાવિલોનું મંડળ હોવું જોઈએ એવી પરીકલ્પના આપણા વડવાઓ એ કરી એટલુંજ નહિ એ કલ્પનાને સાકાર કરી મંડળની સ્થાપના કરી અને એ પછીની પેઢીએ એ મંડળને સતત ધબકતું રાખી મંડળને સતત પ્રગતિના પથ પર અગ્રેસર બનાવ્યું એ તમામ મહાનુભાવોનું ઋણ સ્વીકાર કરી એમનું અત્રે અભિવાદન કરીએ છીએ.
કોઈ પણ સામાજીક સંસ્થા કે મંડળની સ્થાપના કરવી એ બહુ સહેલું છે પરંતુ એને સફળતા પૂર્વક 100 વર્ષ સુધી ચલાવવું એ ખરેખર આપણા અનાવિલો માટે ગૌરવ લેવા જેવી ઐતિહાસિક ઘટના કહી શકાય...આપણા અનાવિલો માટે આરંભે શૂરા એ કહેવત આપણે બધા મળીને ખોટી પાડી એ માટે ફરી એકવાર આપણે સૌ ગૌરવના અધિકારી છીએ
શ્રી અનાવિલ કેળવણી મંડળ મુંબઈએ આપણા વિદ્યાર્થીઓને પાયાનું અને ઉચ્ચ શિક્ષણ માટે ખુબજ ઉમદા કાર્ય કર્યું છે.
મંડળ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને બીજા દરેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન સ્કોલરશીપ આપે છે ઉપરાંત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન ઉપરાંત લગ્નોચ્છુક યુવક યુવતીઓ માટે પુસ્તક પ્રકાશિત કરી સમાજના યુવક યુવતીઓ માટે યોગ્ય જીવન સાથી મેળવવામાં સહાયભૂત થાય છે. સતત ઘટતો જતો વ્યાજદર અને સતત મોંઘું થતું જતુ શિક્ષણને કારણે વધતી જતી લોનની માંગને કારણે મંડળ હંમેશા નાણાકીય ભીડમાં રહે છે એ અને અનાવિલ વિદ્યાર્થીઓનાં ઉજવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી સમગ્ર અનાવિલ સમાજે મંડળના શતાબ્દી ભંડોળ અભિયાનમાં દિલ ખોલીને જ નહીં પણ તિજોરી ખોલીને મંડળને સહાય કરી મંડળને આર્થિક રીતે મજબુત બનાવવામાં મજબૂત સહયોગ આપ્યો એ બદલ અનાવિલ ખબરદારના તમામ સભ્યો તરફથી અનાવિલ દાતાઓ, મંડળનાં ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ, કારોબારીના સભ્યો અને કાર્યકર્તાઓ ખુબ ખુબ અભિનંદન......અને અનાવિલ કેળવણી મંડળ શતાબ્દી ભંડોળ અભિયાનના કન્વેનર શ્રી રાજુભાઈ ને વિશેષ અભિનંદન
મંડળની સ્થાપ્નાથી લઈને 100 વર્ષ સુધી મંડળની તન,મન,ધનથી સેવા કરનારા દરેક અનાવિલ સભ્યોનો પણ અનાવિલ ખબરદાર ગ્રુપ તરફથી ખુબ આભાર અને ધન્યવાદ.
આજે મંડળ દ્વારા અનાવિલ હોલ વાપી ખાતે આયોજીત શતાબ્દી વર્ષની ઉજવણી અને સંગીત કાર્યક્રમ માટે મંડળને અગ્રીમ શુભેચ્છા.
લિ.
અનાવિલ ખબરદાર ગ્રુપ વતી...
અનિલ બી. દેસાઈ
(પંડોર -કાંદીવલી )ના જય અનાવિલ.
08.03.2025
*********************
શ્રી અનાવિલ કેળવણી મંડળ મુંબઈ શતાબ્દી મહોત્સવની શાનદાર ઉજવણી
શ્રી અનાવિલ કેળવણી મંડળ મુંબઈ (સ્થાપના 1924) ની શતાબ્દી વર્ષની ઉજવણી અનાવિલ હોલ વાપી મુકામે શનિવાર તા. 08.03.2025 નાં રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં એક હજાર કરતા વધારે અનાવિલો સહભાગી થયા.
મંડળના 100 વર્ષની ઉજવણી (એ મહા કુંભની 144 વર્ષ પછી આવતી ઉજવણીની જેમ) માં સહભાગી થવાનું સૌભાગ્ય વર્તમાન પેઢીના નસીબમાંજ હોય છે.
મંડળ દ્વારા મંડળના સંસ્થાપકો સહિત મંડળના ભૂતપૂર્વ અને વર્તમાન ટ્રસ્ટીગણો, પદાધિકારીઓને યાદ કરી સર્વ મહાનુભાવોની તસ્વીર લગાવી... ભૂતપૂર્વ મહાનુભાવો જેમાંથી ઘણા મહાનુભાવો જેમને આજની પેઢીએ જોયા પણ નથી એમની તસ્વીર જોવાનો રોમાંચ કંઈ અલગજ અનુભુતી એમના પરિવારજનોને અને બીજા દરેક અનાવિલોને કરાવ્યો એ બદલ મંડળના દરેક ટ્રસ્ટીઓ સહિત કારોબારીના સભ્યોને અભિનંદન....
મંડળની સ્થાપનાથી લઈને વર્તમાન સુધીના સંસ્થાપકો, ટ્રસ્ટીગણ, પદાધિકારીઓને સાંકળી લઈ સુંદર સ્મરણીકા પુસ્તિકા ઉપલબ્ધ કરાવવા બદલ અભિનંદન...
મંડળ દ્વારા શતાબ્દી ભંડોળ અભિયાનમાં રુ. 10 લાખ કરતા વધારે દાન આપનાર દાતાઓનું જાહેર સન્માન કર્યું એ બદલ અભિનંદન...
અતિથી વિશેષ મહાનુભાવો, અનાવિલ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ અને પદાધિકારીઓ ઉપરાંત અનાવિલ મેડિકલ મંડળનાં ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ અને મંડળના ઓડિટરોને સ્ટેજ ઉપર સ્થાન આપ્યું અને સન્માન કર્યું એ બદલ ખુબ ખુબ અભિનંદન.
એજ દિવસે મંડળ દ્વારા આયોજીત સ્નાતક ગૌરવ સમારોહના આયોજનમાં સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું અને એ દિવસે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં 3 અનાવિલ મહિલાઓને અતિથી વિશેષ તરીકે સ્ટેજ ઉપર સ્થાન આપી શાલ ઓઢાડી અને બુકે આપી સન્માન કર્યું અને અનાવિલ મહિલાને કાર્યક્રમના એન્કર તરીકે પસંદ કરી મહિલા દિવસે અનાવિલ મહિલાઓનું સન્માન વધાર્યું એ બદલ અભિનંદન...
બપોરે 3 વાગ્યાથી (કાર્યક્રમ શરૂ થયો એ પહેલાથી) ચા અને બિસ્કિટ થી શરૂઆત કરી અને સ્નાતક ગૌરવ સમારોહ દરમ્યાન ગરમાગરમ નાસ્તો અને જ્યુસ હાજર રહેલ દરેક સભ્યોને પોતાના સ્થાન પર આપવા બદલ અભિનંદન....
રાત્રે સ્વાદિષ્ટ ભોજન.....અને ત્યાર બાદ સંગીતની સુરીલીબમહેફિલ અને એ સંગીતની મહેફિલ દરમ્યાન આઈસ્ક્રીમ with ફાલુદા....અપ્રતીમ વ્યવસ્થા, અપ્રતીમ ભોજન બદલ અભિનંદન...
આ સંપૂર્ણ કાર્યક્રમની સુંદર વ્યવસ્થા બદલ મંડળના ટ્રસ્ટીગણ, પદાધિકારીઓ અને કારોબારીના સભ્યોને અઢળક અભિનંદન...
લિ.
અનિલ ભુલાભાઈ દેસાઈ
પંડોર-કાંદીવલી નાં જય અનાવિલ.
9320035367
10.03.2025
અનાવિલ કેળવણી મંડળ ના ૧૦૦ વર્ષ નિમિત્તે
page -2